https://youtube.com/channel/UCG5MR93U2fCTVMwdWaW0JiA

ડો.આંબેડકર આવાસ યોજના। Ambedkar Awas Yojana

ડો.આંબેડકર આવાસ યોજના। Ambedkar Awas Yojana



ડો.આંબેડકર આવાસ યોજના। Ambedkar Awas Yojana, આંબેડકર આવાસ યોજના 2022, ડો.આંબેડકર આવાસ યોજના. Dr.Ambedkar Awas. Dr.Ambedkar Awas 2022. ડૉ. આંબેડકર આવાસ યોજના નો લાભ આપવામાં આવે છે. Ambedkar Awas Yojana ની ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે. ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ.

About Ambedkar Awas Yojana । આંબેડકર આવાસ યોજના

નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી,ગાંધીનગર દ્વારા ડૉ. આંબેડકર આવાસ યોજના નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસૂચિત જાતિના નાગરિકોને મકાન સહાય આપવામાં આવે છે. Ambedkar Awas Yojana ની ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે.
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળવાપાત્ર લાભ । Benefits available under Dr. Ambedkar Awas Yojana

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આંબેડકર આવાસ યોજનાઓ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

    ● જેના લાભાર્થીને પ્રથમ હપ્તામાં 40,000/- સહાય આપવામાં આવે છે.

● બીજા હપ્તા પેટે 60,000/- લાભ મળવાપાત્ર થાય છે.

● ત્રીજા હપ્તા પેટે 20,000/- મળવાપાત્ર થાય છે.

● ડૉ.આંબેડકર આવાસ સહાય સિવાય લાભાર્થી મહાત્મા ગાંધી નરેગા(MGNREGA) નો લાભ પણ મેળવી શકે છે.

● લાભાર્થીએ MGNREGA હેઠળ આવાસ બાંધકામ માટે 90 દિવસની બિનકુશળ રોજગારી મેળવી શકે છે. જેમાં કુલ- રૂપિયા 17910/- ની સહાય તાલુકા પંચાયત નરેગા બ્રાન્ચ તરફથી મેળવી શકે છે.

● સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ શૌચાલય માટે કુલ રૂપિયા 12,000/- ની સહાય આંબેડકર આવસ યોજનાના લાભાર્થીઓ મેળવી શકાશે.

● શૌચાલય યોજનાનો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારના નાગરિકો લોકોઓએ તાલુકા પંચાયતની તથા શહેરી વિસ્તારમાં નગરપાલિકા/મહાનગરપાલિકા તરફથી મેળવી શકશે.

ડૉ.આંબેડકર આવાસ મેળવવા માટેની પાત્રતા । Dr. Eligibility for getting Ambedkar accommodation


Niyamak Anusuchit Jati Kalyan Vibhag દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ હેઠળ e-Samaj Kalyan Portal ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂર પડે છે.

    ● લાભાર્થીનું આધાર કાર્ડ

● લાભાર્થીનું રેશનકાર્ડ

● લાભાર્થીની જાતિનો દાખલો

● કુટુંબની વાર્ષિક આવકનો દાખલો

● લાભાર્થીના રહેઠાણનો પુરાવો (જેમાં વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો)

● જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/હકપત્રક (જે લાગુ પડતુ હોય તે )


● લાભાર્થીના બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

● પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)

● જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીનના ક્ષેત્રફળ દર્શાવતો નકશો

● ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ (તલાટી-કમ-મંત્રીશ્રી)ની સહીવાળી

● ચૂંટણી ઓળખપત્ર

● લાભાર્થીના મકાન બાંધકામ ચિઠ્ઠી

● અગાઉ કોઈપણ આવાસ યોજનાનો લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું

આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી ગુજરાત । Ambedkar Awas Yojana Online Application Gujarat


SJE Gujarat દ્વારા e-Samaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Application કરવાની રહેશે. આંબેડકર આવાસ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

    ● સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.

● હવે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની Official Website ખોલવાની રહેશે.

● જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.

● જેમાં નંબર-2 Dr Ambedkar Avas Yojana પર ક્લિક કરવાનું રહેશે.

● જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.

● જેમાં તમારે નામ, જાયી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.

● નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

● Citizen Login માં ડૉ.આંબેડકર આવસ યોજના પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.

● ત્યારબાદ ઘર વિહોણા કે રહેવાલાયક ઘર નથી તેની માહિતી ભરવાની રહેશે.

● ઘરે તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

● તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.

● ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.

● Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

Govt. Official Website Click Here
Your Application Status Click Here
New User? Please Register Here! Click Here
Citizen Help Manual Download Here


ડૉ.આંબેડકર આવાસ યોજનાનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે?

આ યોજનાનો લાભ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

Ambedkar Awas Yojana નો લાભ કોણે મળે?

ગુજરાતના અનુસૂચિત જાતિ જ્ઞાતિના ઘરવિહોણા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને આંબેડકર આવાસ યોજનાનો લાભ મળે.


આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ





Post a Comment

Previous Post Next Post